Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

૭ આતંકીઓને મોતને ઘાટ ઉતારનાર ઉત્તરાખંડના મેજર પ્રીતમને કીર્તી ચક્ર

નવી દિલ્હી : ભારતીય લશ્કરના જાંબાઝ મેજર પ્રીતમ કુંવર (ઉત્તરાખંડના નિવાસી) ને નવી દિલ્હીમાં ''કીર્તી ચક્ર''થી સન્માનીત કરાયા છે. ચમોલી જીલ્લાના મઠ ગામના પ્રીતમ કુંવરે રપ મે ર૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી ક્ષેત્રમાં થયેલ ત્રાસવાદી હુમલામાં ૬ ત્રાસવાદીઓનું ઢીમ ઢાળી અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું. ૧પ ઓગષ્ટ ર૦૧૭ના રોજ તેમના આ કલ્પનાતિત સાહસ માટે કીર્તિ ચક્રથી સન્માનીત કરવાની જાહેરાત થઇ હતી.

(4:44 pm IST)