Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતા રાહતઃ ૫ દર્દીઓને રજા અપાઈ

નવીદિલ્હીઃ રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. ઉપરાંત પાંચ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પીટલમાંથી રજા આપી દેવાઈ છે. કેજરીવાલે જણાવેલ કે કોરોનાના કારણે સૌથી મોટો પડકાર એ છે કે તેને કોઈપણ સ્થિતિમાં અનિયંત્રીત ન થવા દેવો. જે પ્રજાના સહયોગથી જ પડકારનો સામનો કરી શકાય છે, કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી સિસોદીયા, સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે ઉપરાંત તેઓ ઉપરાજયપાલને પણ મળનાર છે.

(3:27 pm IST)