રાજકોટ તા. ૨૪ : '૨૦૨૦ની સાલમાં કેન્સરથી પણ ખતરનાક બીમારી એવી ડિપ્રેશનની બીમારી આવશે' ગુરુ શકિતઓ દ્વારા પ્રાપ્ત આ સંકેતને સમર્પણ ધ્યાન સંસ્કાર ના પ્રણેતા પરમ પૂજય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ આપણને ૨૦૧૯ની સાલમાં આપ્યો હતો અત્યારે આપણે એજ પરિસ્થિતિ નો અનુભવ કરી રહ્યા છીએ. આવા કટોકટી અને ડર ના માહોલમાંથી સમગ્ર વિશ્વ જયારે પસાર થઈ રહ્યું છે ત્યારે પૂજય સ્વામીજીએ સરકાર શ્રી ની દરેક સુચનાનો અમલ કરવા અપીલ કરી હતી તેમજ આ મહામારીની આફત માટે કુદરતનો સંકેત,સકારાત્મક વિચાર, સુરક્ષાકર્મીઓ અને સ્વાસ્થ્યકર્મીઓએ લેવાની તકેદારી,પરિસ્થિતિમાંથી બચવા નો ઉપાય તેમજ ભવિષ્યમાં લેવાના પગલાં વગેરે વિશે માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. ભાવનાબેન દોશીએ તેનું સંકલન કર્યું છે, જે નીચે પ્રમાણે છે.
પ્રશ્ન : સમગ્ર વિશ્વમાં હાલ 'કોરોના'નો ભય અને તેની ચિંતા ફેલાયેલી છે ત્યારે વ્યકિતએ
બેલેન્સ રહેવા શુ કરવું જોઈએ?
જવાબ : આજે વિશ્વમાં કોઈ નકારાત્મક ઘટના બને છે તો મીડિયા અત્યંત સશકત હોવાના કારણે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડે છે. માણસમાં એક વિશેષતા છે કે તેનામાં નકારાત્મક વાત બહુ જલ્દીથી ફેલાઈ જાય છે જયારે સકારાત્મક વાતો એટલી જલ્દી થી ફેલાતી નથી તેના કારણે પણ આ ઘટનાનો પ્રભાવ વધારે પડે છ. કોઈ વ્યકિત બીજી વ્યકિત વિશે દસ સારી વાત બતાવશે તો દિમાગ માં નહીં આવે પરંતુ એ જ વ્યકિતને કોઈ નકારાત્મક વાત હશે તો તે તરત જ યાદ રહી જશે.તેના પર વ્યકિત વિશ્વાસ પણ કરી લેશે.માણસનો આ સ્વભાવ છે જો તમારે નકારાત્મક પ્રભાવ થી બચવુ છે તો એકાંતમાં ચાલ્યા જાવ. એકાંતમાં વિચાર આવશે પણ તે તમારા પોતાના હશે. જો તમે દસ લોકો સાથે છો તોઙ્ગ બધા લોકોના નકારાત્મક વિચાર તમને આવશે હાલમાં પ્રદૂષણ વિશે અનેક ચર્ચાઓ થાય છે પરંતુ વૈચારિક પ્રદૂષણનો માણસે કયારેય વિચાર કર્યો નથી વૈચારિક પ્રદૂષણ એ સૌથી મોટું ઘાતક પ્રદૂષણ છે.જોઙ્ગ તમે એકાંતમાં રહેશો તો વધારે વિચાર નહીં આવે એ મારો ગહન ધ્યાન અનુષ્ઠાન નો અનુભવ છે બીજું સંતુલિત કઈ રીતે રહેશો?તો તમે તમારી જાતને વ્યસ્ત રાખો. સારા પુસ્તકો વાંચવાનો સમય નથી મળ્યો તો અત્યારે સારા પુસ્તકો વાંચો, પેઇન્ટિંગનો શોખ હોય તો પેઇન્ટિંગ કરો, ગાવાનો શોખ હોય તો ગાવ એટલે જે શોખ માટે સમય નથી મળ્યો તેના માટે પરમાત્માએ અત્યારે ખુબ સુંદર સમય આપ્યો છે. આરામથી મનગમતી પ્રવૃત્ત્િ। કરો અથવા તો ઘર પરિવાર સાથે સમય વ્યતીત કરો પરંતુ આ પરિસ્થિતિ સિવાય ની વાતો કરો. આ પરિસ્થિતિમાં સકારાત્મક વિચાર કરીને વાતાવરણમાં સંતુલિત રહેવા માટે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળો. બીજું આ સમસ્યામાંથી નીકળવું છે તો સમસ્યા જુદી છે અને તમે જુદા છો એમ વિચાર કરો તમારી જાતને આ સમસ્યાથી વિભકત કરો તો આ વાતાવરણમાં સંતુલિત રહી શકશો.
પ્રશ્ન : આ મહામારીના માધ્યમથી પ્રકૃતિ માનવજાતને કોઈ સંકેત આપવા માંગે છે?
જવાબ : પહેલા સમગ્ર પૃથ્વી એક હતી આપણો ભારત દેશ પણ દક્ષિણ આફ્રિકા સાથે જ હતો જેમ જેમ સમય વિતતો ગયો તેમ પૃથ્વીનો એક ભાગ અલગ થઈને હિમાલયથી ટકરાયો તે ભારત દેશ બન્યો હાલમાં મેં દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી તો કેટલીય વાર એવું લાગ્યું કે હું ભારતમાં જ કરી રહ્યો છું ભારત જેવું જ વાતાવરણ આજે પણ ત્યાં છે ત્યાંનું વાતાવરણ અને ભારતના વાતાવરણમાં ઘણી સમાનતા છે પહેલાના સમયમાં સમગ્ર વિશ્વમાં ઉપાસના પદ્ઘતિ એક જ હતી. લોકો એક જ પદ્ઘતિથી પૂજા કરતા હતા એ પંચમહાભૂતો ની પૂજા હતી પંચમહાભૂતને ભગવાન સમજવા એક જ ઉપાસના પદ્ઘતિ હતી ત્યાર બાદ માનવ સમાજ ધીમે વિકસિત થયો અને વિવિધ ઉપાસના પદ્ઘતિ આવી પરંતુઙ્ગ દરેક ઉપાસના પદ્ઘતિ માં એક જ વાત સામાન્ય હતી અને એ વાત એ હતી કે સારી વાત કરો અને ખરાબ બાબત છોડો. દરેક નો ઉદ્દેશ એક જ હતો મનુષ્યના ભીતરમાં રહેલી મનુષ્યની મનુષ્યતા જાગૃત કરવાનો. ૮૦૦ વર્ષ સુધી હિમાલયમાં બેઠેલા ઋષિમુનિઓએ આ ઉપાસના પદ્ઘતિ નું અધ્યયન કર્યું ત્યારબાદ પ્રકૃતિથી જોડાઈનેઙ્ગ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નવો માર્ગ શોધ્યો તે સમર્પણ સંસ્કાર છે. આ સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે છેલ્લા ૨૫ વર્ષમાં ૨૫દ્મક વધુ દેશો જોડાયા છે અને આજે પણ હિમાલયમાં બેઠેલા ઋષિમુનિઓ આ સંસ્કાર દ્વારા આગામી સમયમાં બનવાની ઘટનાઓ વિશે સંકેત આપે છે.તેમના સંકેત ખૂબ જ સીમિત ભાષામાં હોય છે અને સીમામાં રહીને બોલે છે.લોકો જુદા જુદા સ્થાનોમાં જતા હતા અને બહાર પરમેશ્વરને શોધતા હતા ત્યારે તેઓએ ઉપદેશ આપ્યો કે પરમાત્મા બહાર નથી પરમાત્મા તમારી ભીતર છે એટલે નિજ ધામની યાત્રા કરવાનો પ્રારંભ કરો ત્યારે આ વાત થોડી વિચિત્ર લાગી હતી પરંતુ આ છે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો એ પરમાત્માને અંદર શોધવા સિવાય કોઇ માર્ગ બચ્યો નથી. સમગ્ર સમર્પણ ધ્યાન યોગ દ્વારા એ સમજાવ્યું કે જાતિ,ધર્મ, દેશ, ભાષા, લિંગ બધાથી ઉપર મનુષ્યમાત્ર છે અને આ બધાથી પર થઈ સ્વયં ની ખોજ કરશો તો આ બધી જ દીવાલો સમાપ્ત થઈ જશે આ પ્રકારનો અનુભવ સમગ્ર યોગ દ્વારા સંભવ છે પરંતુ યોગ એટલે ફકત યોગાસન નહીં યોગાસન યોગનું એક અંગ છે. યોગનો ઉદેશ્ય શરીર ભાવ ઓછો કરી આત્મભાવઙ્ગ વૃદ્ઘિગત કરવાનો છે જયારે યોગાસન ફકત શરીર સુધી જ સીમિત છે પરંતુ તમે સંપૂર્ણ યોગ શીખશો ત્યારે જ તમારી અંદરની મનુષ્યતા જાગૃત થશે અને તેના દ્વારા વિશ્વમાં વસુધૈવ કુટુંબકમ્ ની કલ્પના સાકાર થઈ શકે છે.યોગ એટલે પ્રકૃતિ સાથે જોડવું જયારે તમે પ્રકૃતિ સાથે જોડાવ જો ત્યારે પ્રકૃતિ તમને સંકેત આપે છે જે તમે સરળતાથી સમજી શકો છો.
પ્રશ્ન : ૩ હાલ દરેક ધર્મસ્થાનો પણ બંધ કરવામાં આવ્યા છે અને લોકો તેની આલોચના પણ કરે છે કે વિકટ સમયમાં ભગવાનનોઙ્ગ પણ સાથ નથી તેના વિષે તમે શું કહેશો?
જવાબ : જો તમારો પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ છે કે આ બધું તેની ઇચ્છાથી જ થઈ રહ્યું છે તો સમજી લો કે આ પરિસ્થિતિ પણ તેની ઇચ્છાથી જ થઈ રહી છે અને આ સ્થિતિમાં પરમાત્મા તમને સંકેત આપે છે જે સંકેત આજથી કેટલાય વર્ષો પહેલા મહાન સંત કબીરે આપ્યો હતો
'મુજકો કહા ઢૂંઢે રે બન્દે,
મૈં તો તેરે પાસ હું'
કેટલું સત્ય છે! આજે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં બધાં જ મંદિરો, ધર્મસ્થાનો, ચર્ચ, પ્રાર્થના ધામ બંધ થઈ ગયા છે તો પ્રાર્થના કરવાનો માર્ગ ફકત અને ફકત એક જ બચ્યો છે. જે કબીરજીએઙ્ગ બતાવેલ માર્ગ છે, પોતાની ભીતર પરમાત્માનો અનુભવ કરો અને આ જ વાત છેલ્લા ૨૫ વર્ષથી હું પણ વિશ્વભરમાં ફરી ફરીને પ્રત્યેક મનુષ્યને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે પરમાત્મા બહાર નથી તમે પરમેશ્વરને બહાર શોધતા-શોધતા થાકી જશો તમારૃં જીવન સમાપ્ત થઈ જશે પણ કયારેય પરમાત્મા મળશે નહીં પરમાત્મા તમારી અંદર જ છે બાળપણથી યુવાની સુધી મેં ફકત પરમાત્માની જ શોધ કરી લોકોએ જે કહ્યું તે કર્યું પરંતુ પરમાત્મા મળ્યા નહિં હું મારા અનુભવ પરથી એટલું જ કહું છું કેઙ્ગ શરીરના પ્રયાસથી પરમાત્મા નથી મળતાં પરમાત્મા એક વિશ્વ ચેતના છે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે આજેઙ્ગ પરમેશ્વર ધર્મસ્થાનના દરવાજા બંધ કરીને તમને સંકેત આપવા માગે છે કે હવે અહીં આવવાનું બંધ કરો અને તમારી ભીતર ના દરવાજા ખોલો. જયાં સુધી એક દરવાજો બંધ નથી થતો ત્યાં સુધી બીજો દરવાજો ખુલતો નથી એ જ પ્રકારે બહારના દરવાજા બંધ થઈ રહ્યા છે ત્યારે મનુષ્ય ભીતર નો દરવાજો ખોલવાની જરૂર છે આ પરમેશ્વરનો સંકેત છે.
પ્રશ્ન : આ પરિસ્થિતિ કેટલા સમય રહેશે? આગળનું ભવિષ્ય શુ છે?
જવાબ : આજે જે પરિસ્થિતિ નિર્માણ થઇ છે તે કેટલા સમય રહેશે અને તેના માટે આપણે પોતાને કેવી રીતે તૈયાર કરવા જોઈએ તેને બે ભાગમાં સમજીએ એક ભાગ છે શારીરિક સ્તર અને બીજો ભાગ છે માનસિક સ્તર.
શારીરિક સ્તર એટલે મારૃં કહેવું છે કે કોઇ આવશ્યકતા હોય ત્યારે નવી શોધ નિર્માણ પામેઙ્ગ છે આજ મહામારીની દવા શોધવા ની આવશ્યકતા છે મને વિશ્વાસ છે કે સંશોધકો ડોકટર સાઇન્ટીસ્ટ આ બીમારીની દવા શોધી કાઢશે આનું પણ કોઈ વેકસીન શોધી કાઢશે એવી કોઇ બીમારી નથી જેની દવા શોધાઈ ન હોય.બીમારી આવી છે તો તેનો ઈલાજ પણ શોધાશે આજે પણ જે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે તેને કોઇ ને કોઇ પ્રકારની દવા આપીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને દર્દી સારો થઈને પોતાના ઘરે જઈ રહ્યો છે. દવાની શોધ થશેઙ્ગ તેના માટે સમય લાગી શકે છે પરંતુ જે માનસિક પ્રભાવ પડશે તે માણસના જીવનમાં જીવનભર રહેશે એ પ્રભાવને કોઈ દવા કે વેકસીનથી દૂર નહીં કરી શકાય તેના માટેનો એક માત્ર માર્ગ જીવનમાં ઘટેલી બનેલી આ મહામારી ની ભયાનકતા ને ભૂલી જવાનું છે પરંતુ સામાન્ય માણસ તેના જીવનમાં ભૂતકાળને ભૂલી શકતું નથી તો તેનો માર્ગ શું છે? એ માર્ગે છે યોગ. સમર્પણ ધ્યાન સંસ્કાર દ્વારા યોગને ગ્રહણ કરી શકાય છે એ શું છે તે સરળ શબ્દોમાં સમજાવું છું ધ્યાન સાથે જોડાઈને યોગ કરશો તો તમે પરમાત્માની સામૂહિક શકિત સાથે જોડાઈ જશો પ્રકૃતિ સાથે સમરસ થઇ જશો પ્રકૃતિ ભૂતકાળનો વિચાર કરતી નથી તો તમને પણ ભૂતકાળનો વિચાર નહીં આવે અને આ ઘટનાનો મન મસ્તિષ્ક પર ખરાબ પ્રભાવ પડ્યો છે તેને ભૂલી શકશો આ પ્રભાવને સમર્પણ ધ્યાન યોગનો સહારો લઈને ઘટનાને ભૂલી શકશો, ભવિષ્યમાં પણ મુકિત પામી શકશો ફકત શારીરિક સ્તર પર રહી આ ઘટનાનો પ્રભાવ ઓછો નહીં કરી શકાય.
પ્રશ્ન : ગુરૂ શકિતઓ દરેક ઘટનામાં સકારાત્મક પ્રભાવ જુએ છે તો આ ઘટના પાછળ સકારાત્મક સંદેશ છે?
જવાબ : સકારાત્મક શકિતઓ નું નામ જ ગુરૂ શકિત છે ગુરુ શકિત સદેવ પ્રત્યે ઘટનામાં સકારાત્મક વિચાર શરણે રાખે છે અને આ ઘટના પણ સકારાત્મક વિચાર મહેસૂસ કરે છે જેમ કે ભૂકંપ આવે છે તો તે કોઈ જાતિ વિશેષ ધર્મ ભાષા દેશ કે કોઇ રાજયના લોકો માટે નથી હોતો એ પ્રાકૃતિક આફત બધા પર સમાન રૂપે આવે છે પરમાત્મા ની વિશેષતા છે કે તે જયારે પણ આપે છે સમાન રૂપથી આપે છે કોઈ ભેદભાવ કરતો નથી પ્રકૃતિના માધ્યમથી પણ પરમાત્મા કોઈ ભેદભાવ કરતો નથી તેથી જયારે પણ પ્રાકૃતિક વિપત્તિ આવે છે ત્યારે સમાન રૂપથી દરેક પર પ્રભાવ પડે છે આજે પણ એમ જ થયું છે તમે જુઓ જાતિ-ધર્મ દેશની સીમા તૂટી ગઈ છે વાસ્તવમાં જેને આપણે ધર્મ કહીએ છીએ તે ધર્મ છે જ નહીં અને ઉપાસના પદ્ઘતિ છે.
બની શકે મારી અને તમારી ઉપાસના પદ્ઘતિ અલગ હોય પરંતુ આજે આપણા બંનેનો ધર્મ એક જ છે અને એ છે મનુષ્ય ધર્મ. ગુરુ શકિત આ તમામ ઘટનાને સકારાત્મક ગ્રુપમાં એ રીતે લે છે કે હવે તમારે જાતિ ભાષા દેશ ની સીમાઓને તોડીને એક થવું પડશે હવે તમારે જે કંઈ છે તે મનુષ્ય માત્ર માટે વિચારવું પડશે અને જો એ રીતે વિચારશો તો તમે વિકસિત થશો જે વાત ગુરૂ શકિત વર્ષોથી ન સમજાવી શકી એ વાત આ ઘટનાએ સમજાવી છે. આ ઘટના સંકેત આપે છે કે બધી જ સીમા ભૂલીને મનુષ્યજાતિ તમે એક બનો, સમાન બનો અને વિશ્વમાં એક જ ધર્મ છે જે મનુષ્ય ધર્મ છે. અને જો આ ધર્મ તમે જાણી ગયા તો વસુધૈવ કુટુંબકમ્ ની કલ્પના આપણા પૂર્વજોએ કરી છે તે સાકાર થશે.
પરમેશ્વરે આપેલ બે સંકેત અત્યારે મને સ્પષ્ટ દેખાય છે એ છે કે બધી જ ઉપાસના પદ્ઘતિ દેશ ભાષા રંગ બધાના ભેદભાવ ભૂલી જાઓ અને બધા જ મનુષ્ય એક થઈ જાઓ સમાન થઈ જાવ અને બીજુ પરમેશ્વરને બહાર શોધવાનું બંધ કરો અને સંત કબીરના વચનોની એકાગ્રતાથી પાલન કરો પરમાત્માને તમારી ભીતર મેળવો પરમાત્મા તમારી ભીતર જ છે
પ્રશ્ન : ધ્યાન અને પ્રાર્થના આ બંને દ્વારા મદદ મળી શકે છે?
જવાબ : પ્રાર્થના એ પરમાત્મા સાથે જોડાવાનો ઉત્ત્।મ માર્ગ છે પૂર્ણ હૃદયથી નિઃસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે આપણે જયારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઉચ્ચઉર્જા શકિત થી જોડાઈએ છીએ અને બીજું એ સમયે આપણે માનીએ છીએ કે મારાથી નહીં થઈ શકે એટલે ઙ્કહુંઙ્ખનો ભાવ પણ સમાપ્ત થાય છે સમર્પણ ધ્યાનનીઙ્ગ વાત કરીએ તોઙ્ગ આ ધ્યાનની પદ્ઘતિ નથીઙ્ગ પરંતુ આ સંસ્કાર છે આમાં શીખવા શીખવવાની કોઈ વાત જ નથી. કોઈ વ્યકિત જો આત્મસાક્ષાત્કાર મેળવવાની ઈચ્છા સાથે આવે છે તો આત્મસાક્ષાત્કાર મેળવી શકે છે સામાન્ય મનુષ્યની અને મારી આત્મા થોડી અલગ છે? મારા ભીતર પણ એ જ આત્મા છે જેની સાથે લાખો પવિત્ર વિશ્વભરની આત્માઓ જોડાયેલી છે તો આટલી મોટી સામુહિકતા સાથે કોઈ વ્યકિત આવે અને ઇચ્છા કરે કે મને પણ આત્મસાક્ષાત્કાર મળવો જોઈએ, આત્માનુભૂતિ મળવી જોઈએ તો તેને પણ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે પ્રકૃતિ ની શકિતની એક સીમા હોય છે પરમાત્માની શકિત એક નિશ્યિત સીમામાં જ રહે છે ત્યારે તમારે ઇચ્છા કરવી પડશે, તમારે માંગવુ પડશે તમારે પ્રાર્થના કરવી પડશે અને ત્યારે જ તમે આ સાક્ષાત્કાર મેળવી શકશો પરમેશ્વર ત્યારે જ તમારી ભીતર પ્રવેશ કરશે જયારે તમે તમારા હૃદયના દરવાજા ખોલશોઙ્ગ શિષ્યની આત્મા ગુરુની આત્મા સાથે સમરસ થઇ જાય છે ત્યારે ગુરુ ની બધી જ શકિતઓ બધી જ ઊર્જા બધા જ વાઇબ્રેશન્સ શિષ્યને અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે શિષ્ય લેતો નથીઙ્ગ નથી અને ગુરુ આપતા નથી આ લેવડદેવડની વાત શરીરના સ્તર પર થાય છે અહીં શરીરનો કોઇ જ વ્યવહાર નથી આત્માથી આત્માની વાત છે જે ધ્યાન દ્વારા શકય બને છે.
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ આટલું ધ્યાન રાખે
સામાન્ય પરિસ્થિતિમાં ડોકટર અને સ્વાસ્થ્યકર્મી ઓનીઙ્ગ આસપાસ બીમાર લોકોનો જમાવડો હોય છે અને એટલે જ હું હંમેશાં કહું છું કે આ લોકોએ ધ્યાન કરવાની ખૂબ જરૂર છે કોઈ એક વ્યકિત પોતાનું સંપૂર્ણ ધ્યાન યોગાસનમાં કેન્દ્રિત કરીને પોતાને સ્વસ્થ રાખવા ફિગર બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે તો પણ તેનું ચિત્ત વિક થઈ જાય છે કારણ કે તેણે પોતાના નાશવંત શરીર પર ચિત રાખ્યું છે તો વિચારો કે ડોકટર અને સ્વાસ્થ્યકર્મીઓ દિવસ દરમિયાન અનેક બીમાર લોકો પરિચિત રાખે છે તો તેના ચિત્તનો કેટલો નાશ થાય? એટલે જ હું દરેક ડોકટર અને સ્વાસ્થ્ય કર્મીઓને ધ્યાન કરવાનું કહું છું ધ્યાન સાધના કરી તેઓ તેની આસપાસ એક સારા વિચારોનું, સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે અને એ આ દર્દીઓના ખરાબ પ્રભાવથી તેમને બચાવીને રાખશે બીજું આ લોકોને મારૃં એક જ નિવેદન છે કે ધ્યાન કરી મેડીટેશન કરી પોતાનું એક સકારાત્મક આભામંડળ બનાવો તેથી ભવિષ્યમાં પણ કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો એ આભા મંડળ તમને પ્રત્યેક સ્થિતિમાં સુરક્ષિત રાખશે અને બીજું ડ્યુટી સમજીને આ કાર્ય કરો કોઈ વિશેષ દર્દી કે વિશેષ વ્યકિતમાં ચિત જવા ન દો વિશેષ ઘટના કે કોઈ વિશેષ ઘટનાની વ્યકિતમાં તમારૃં ચિત્ત જવા ન દો. તેને નિયંત્રણમાં રાખો. અન્ય લોકોમાં ચિત ન જાય તેની કાળજી રાખો ફકત એક કર્તવ્ય સમજીને કાર્ય કરો દરેક ડોકટર અને સ્વાસ્થ્ય કર્મીઓ એટલું ધ્યાન રાખે કે તેઓ પોતાનું ચિત્ત માથા પર તાળવા પર સ્થિર રાખે અને કોઈના પર ચિત રાખ્યા વગર પોતાની ફરજ બજાવશે તો આસપાસની પરિસ્થિતિથી બચી જઈ શકશે.
વર્તમાન સમયમાં ધ્યાન કરી શાંતિ, સુરક્ષા અને સ્વસ્થતા મેળવો
સૌપ્રથમ પ્રકૃતિએ આપણને બેલેન્સ કરવા માટે ધરતીમાતાનું નિર્માણ કર્યું છે જયારે તમે પૃથ્વી પર બેસો છો ત્યારેઙ્ગ ગુરૂત્વાકર્ષણ બળથી તમારી બીમારી ટેન્શન દૂર થઈ જાય છે તો આજની પરિસ્થિતિમાં જો તમે જમીન પર બેસી શકો તો જમીન પર આસન પાથરી બેસો જે સ્થિતિમાં બેસી શકો એ સ્થિતિમાં બેસો બંને હાથને આગળ ગોઠણ પાસે આકાશ તરફ રાખી જમણો હાથઙ્ગ માથા પરઙ્ગ તાળવા ના ભાગ પર રાખોઙ્ગ સહેજ દબાવી ત્રણવાર કલોક વાઇઝ ફેરવો. અનેઙ્ગ આંખો બંધ કરી હાથ ધીરે ધીરે નીચે લઇ લોઙ્ગ મનુષ્યનો સ્વભાવ છે કે જયાં સ્પર્શ કરો તો ચિત્ત જાય છે તેથીઙ્ગ માથા પરઙ્ગ તાળવા ના ભાગે સ્પર્શ કરવાથી ધ્યાન ત્યાં જશે. પૂર્ણ ભાવ પૂર્ણ ઇચ્છાથી બેસવાનું છે અહીં ઈચ્છા ખૂબ જ મહત્વની છે ઈચ્છા કરશો તો જ પ્રાપ્ત થશે.
પૂર્ણ ભાવથી આ મંત્રનો ઉચ્ચારણ કરવાનું છે જે મંત્ર સાથે મારી ૬૦ વર્ષની સાધના જોડાયેલી છે જે મંત્ર બોલવાથી સામૂહિકતા અને ૬૦ વર્ષના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે ત્રણ વખત બોલવાનું છે.
'મેં એક પવિત્ર આત્મા હું..મેં એક શુદ્ઘ આત્મા હું'
'મેં એક પવિત્ર આત્મા હું.. મેં એક શુદ્ઘ આત્મા હું'
'મેં એક પવિત્ર આત્મા હું મેં એક શુદ્ઘ આત્મા હું'
આમ ત્રણ વખત બોલી માથાના તાળવા પર ધ્યાન કેન્દ્રિત કરી ૩૦ મિનિટ ધ્યાન કરવાનું છે આ જ પ્રકારે દરરોજ ધ્યાન કરો ધ્યાન લાગે ના લાગે ,શરીર વિરોધ કરે, મન વિરોધ કરે તો પણ વિચારો ને રોકવાની કોશિશ ન કરો ,તમારી બુદ્ઘિ વિચલિત કરશે પરંતુ તમારે ૩૦ મિનિટ ધ્યાન કરવાનું છે. આ પ્રયોગ ફકત ૪૫ દિવસ કરીને જુઓ.ઙ્ગ આ મહામારીથી દૂર પહોંચી જશો એટલું જ નહીં પરંતુ તમારા જીવનની બધી જ સમસ્યા પૂર્ણ થઇ જશે કારણ કે જે સમસ્યા છે તે શરીરને સંબંધિત છે.અંતમાં પ્રાર્થના કરો. 'હે પરમાત્મા કોરોના વાઇરસની મહામારીથી વિશ્વને મુકિત મળે અને સમગ્ર મનુષ્યજાતિ તેનાથી સુરક્ષિત રહે એ અમારી શુદ્ઘ ઈચ્છાઙ્ગ છે.'