Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

એક કોરોના પોઝીટીવ વ્યકિત ૫૯,૦૦૦ લોકોને સંક્રમિત કરી શકે છે!

લોકોને પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા વગર છૂટકો નથી

નવી દિલ્હી, તા.૨૪: દુનિયા ની સરહદો ઓળંગીને ભારતમાં ઘુસી ચૂકેલા કોરોના વાયરસને લઇ હજારો લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને ખુબજ નિકટ ના લોકો ને તેની ભયાનકતા ને અંદેશો આવી ચુકયો હતો કે કોરોના વાયરસ કેટલો ખતરનાક અને સંક્રામક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં શરૂઆતનાં આકલન પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યકિતથી સરેરાશ ૧.૪થી ૨.૫ લોકોમાં સંક્રમણ ફેલાય છે. અન્ય અભ્યાસોમાં કોરોના સંક્રમણનાં દરને ૩.૬ થી ૫.૮ સુધી બતાવવામાં આવ્યો છે. જો એકથી સરેરાશ ૩ સંક્રમણને લઇએ તો ચેન બન્યા બાદ ફકત એક વ્યકિતથી હજારોમાં સંક્રમણ ફેલાશે.

યૂનિવર્સિટી કોલેજ લંડનમાં યૂસીએલ ઇન્સિટ્યૂટ ફોર હ્યૂમન એન્ડ પરફોર્મન્સનાં ડાયરેકટર પ્રોફેસર હુગ એડવર્ડ મોંટગોમરીએ કોરોના વાયરસનાં સંક્રમણને ખતરનાક ગણાવ્યું છે. બ્રિટનની ચેનથી ૪ સાથે વાતચીતમાં પ્રોફેસર મોંટગોમરીએ જણાવ્યું કે નોર્મલ ફ્લૂમાં સંક્રમિત વ્યકિત સરેરાશ ૧.૩ થી ૧.૪ લોકો સુધી સંક્રમણ ફેલાવી શકે છે. જો આ ચેન ૧૦ વાર ચાલે તો પણ એક વ્યકિતથી ૧૪ લોકોમાં ફ્લૂ ફેલાઇ શકે છે.

ખુબજ ઝડપ થી ફેલાતા કોરોના વાયરસ ઘણો જ સંક્રામક છે. આનાથી સંક્રમિત એક વ્યકિતથી સરેરાશ ૩ લોકોમાં સંક્રમણ ફેલાય છે. પહેલી નજરે આ આંકડો નાનો દેખાય છે, પરંતુ હકીકતમાં આ ઘણો જ ડબિહામણો છે. કોરોના જે રીતે ફેલાય છે તેનું સાદું મુલ્યાંકલ આ રીતે કરી શકાય ૩, એ ત્રણથી ૯, એ ૯ થી ૨૭, એ ૨૭થી ૮૧.. એમ જો આ ચેઇન ૧૦ વાર ચાલે તો એક વ્યકિત લગભગ ૫૯,૦૦૦ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે અને આજ કારણ કે આગળ કરી લોકોને પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા વગર છૂટકો નથી

ભારતમાં ૧૨થી વધારે કોરોના સંક્રમિત લોકોનાં ટ્રેનમાં સફર કરવાની પુષ્ટિ થઈ ચુકી છે. જુદાજુદા રાજયો ના હજારો પેસેન્જરો જુદાજુદા સ્ટેશન પર ઉતરીને પોત પોતાના દ્યરે ગયા હશે. આ દરમિયાન હજારો લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તો ઉપર ના સદા ગણિત મુજબ કેકયુલેટ કરો તો ખ્યાલ આવી શકે કે કેટલા ચેપગ્રસ્ત બની ચુકયા હશે.

દિલ્હી માં એક સામે આવેલી હકીકત માં અહીંના શાલીમાર બાગની એક મહિલા સાઉદી અરબથી પરત ફરી ત્યારે ઠંડી, શરદી, તાવની ફરિયાદ સાથે સ્થાનિક ડોકટર પાસે ગઈ હતી. ત્યારબાદ જીટીબી હોસ્પિટલ પહોંચી, જયાં તેને આરએમએલ હોસ્પિટલ રેફર કરવામાં આવી. ત્યાં તપાસમાં કોરોના પોઝિટિવ મળ્યો. હવે તેનાથી ૬ અન્ય લોકોને સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. તેણે જે સ્થાનિક ડોકટરને સૌથી પહેલા બતાવ્યું હતુ તે પણ પોઝિટિવ છે. તેની બે દીકરીઓ પણ પોઝિટિવ છે. આમ આ વાયરસ ની ભયાનકતા સામે આવી છે જેને સહેજ પણ ઇગ્નોર કરી શકાય તેમ નથી ત્યારે સરકાર ગંભીર બની છે અને આ વાયરસ ને જો આગળ વધતો અટકાવવો હોય તો સંપર્ક ટાળવો પડશે તેજ પ્રાથમિક મેડીસીન હોવાનું દુનિયા એ સ્વીકાર્યું છે.

(12:02 pm IST)