Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાલઘરમાં ત્ર્યંમ્બકેશ્વર રોડ પર યાત્રિકોની બસ પલ્ટી ખાઈ જતા સુરતના છ લોકોના મોત :40થી વધુ ઘાયલ

યાત્રાળુઓ શિરડીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા ત્યારે પલ્ટી ખાઈ ગઈ

મહારાષ્ટ્રના પાલઘર  જિલ્લામાં યાત્રાળુઓની બસ પલ્ટી ખાઈ જતા છ લોકોના મોત નિપજ્યા છે જયારે 40 થી વધું ઘાયલ થયા છે મૃતક તમામ છ વ્યક્તિઓ સુરતના રહેવાસીઓ હતાં. પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે થયેલી દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયાં છે. જેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

     આ યાત્રાળુઓ શિરડીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. આ ઘટનામાં અનેક લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મળતી વિગત મુજબ પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતાં જ્યારે 40થી વધારે યાત્રાળુઓ ઘાયલ થયાં હતાં.

    આ દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકો અને પોલીસની ટીમની મદદથી મોટુ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પછી તમામ ઘાયલ યાત્રીઓને સ્થાનીક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે અન્ય મુસાફરોએ પણ દમ તોડ્યો હતો.

(8:53 pm IST)