Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

બક્સના સાંસદ અશ્વિની ચૌબે સાથેના ખટરાગના કારણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેનને ટિકિટ નહીં !!

શાહનવાઝ કહ્યું જેડીયુ સાથે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને કારણે મને ટિકિટ આપી નથી

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેનની ટિકિટ કપાતા ભારે ચર્ચા જાગી છે શાહનવાઝ હુસેન પણ પાર્ટીથી નારાજ થયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, નીતિશ કુમારની પાર્ટી જેડીયુના કારણ મારી ટિકિટ કાપવામાં આવી છે. બિહારમાં એનડીએમાં બેઠક વેચણીના ફોર્મુલાના કારણે પાર્ટીએ મને ટિકિટ આપી નથી.

  તેમણે વધુમાં કહ્યુ કે, આ વખતે હુ ભાગલપુરથી ચૂંટણી નથી લડવાનો. પરંતુ જે ઉમેદવારનો ટિકિટ આપવામાં આવી છે તેમને જીતાડવા માટે મહેનત કરવામાં આવશે.

      જોકે જાણકાર સૂત્રોના માનવા મુજબ શાહનાવઝ હુસેન અને બક્સના સાંસદ અશ્વિની ચૌબે વચ્ચે ખટરાગના કારણે પાર્ટીએ શાહનવાઝ હુસેનને ટિકિટ આપી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે  2014માં મોદી લહેર હોવા છતા શાહવનાઝ હુસેન બિહારની ભાગલપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

(8:52 pm IST)