Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

જમ્‍મુ-કાશ્‍મીરમાં ફરીથી હુમલા માટે આતંકીઓ કમર કસી રહ્યા છે

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફરીથી પુલવામા હુમલા જેવો હુમલો દોહરાવવાની તૈયારી કરી રહ્યાં છે. એજન્સીઓના ઈન્ટેલિજન્સ ઈનપુટથી આ ખુલાસો થયો છે. જે મુજબ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં પુલવામા આતંકી હુમલાની જેમ સુરક્ષાદળોના કાફલા કે વાહનો પર ઘાત લગાવીને આઈઈડી વિસ્ફોટ કરી શકે છે.

આ વખતે પણ એજન્સીઓને જે ઈનપુટ મળ્યા છે તે મુજબ આતંકીઓ ફરીથી એકવાર કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવી શકે છે. પુલવામા આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ સુરક્ષાદળો અને સેનાએ અભિયાન ચલાવીને કાશ્મીરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસિર સહિત જૈશના અનેક ટોપ કમાન્ડરોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

(12:29 pm IST)