Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

રાજ્ય સભાના સાંસદ અમર સિંહ પણ બન્યા ' ચૌકીદાર' :ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું

કેટલાય વિપક્ષના નેતાઓને નિશાન પર લઈને પીએમ મોદીને સમર્થન આપ્યું

 

નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું છે. તેમણે પોતાના નામની સાથે ચૌકીદાર જોડી દીધું છે. હવે તેઓ ટ્વીટર પર ચૌકીદાર અમર સિંહ બની ગયા છે. પીએમ મોદીના ટ્વટીર પર નામ સાથે ચૌકીદાર જોડ્યાના તુરંત બાદ હવે મોટાભાગના ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચૌકીદાર જોડી દીધું છે. અમર સિંહ પાછલા કેટલાક દિવસોથી સતત પીએમ  મોદી અને ભાજપના વખાણ કરી રહ્યા છે

    રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વીટ પર પોતાના નામની સાથે ચૌકીદાર તો લખ્યું છે. ઉપરાંત તેઓ એક પછી એક કેટલાય વિપક્ષના નેતાઓને નિશાન પર લઈ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે. સિંહે પુલવામા હુમલો, નીરવ મોદીની ધરપકડ અને એર સ્ટ્રાઈક પર મોદીના વખાણ કર્યાં છે. અમર સિંહને સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા મોકલ્યા હતા પરંતુ બાદમાં તેમને સપાથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જે બાદ અમર સિંહ ભાજપના નજીકના બની ગયા છે.

(11:12 am IST)