Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાશ્મીરમાં દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસીયા ચંદ્રાબીનું ભયંકર ભડકાઉ ભાષણ

પાકિસ્તાન ડે ઉજવ્યો : કહ્યુ કે કાશ્મીરનો પ્રત્યેક વ્યકિત પાકિસ્તાની છે

શ્રીનગર : અલગાવવાદી નેતા અને દુખતરાન એ મિલ્લતની પ્રમુખ આસીયા અંદ્રાબીએ આજે ફરીવાર પાકિસ્તાનના ગુણગાન કરતા શ્રીનગરમાં પાકિસ્તાન ડે ઉજવતા પાકિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. આસીયાએ ઘણી મહિલાઓ સાથે પાકિસ્તાન ડે ઉજવતા ઉશ્કેરીજનક ભાષણ પણ આપ્યુ હતું. આસીયાએ કહ્યુ કે કાશ્મીરનો દરેક વ્યકિત પાકિસ્તાની છે. આસીયાએ મહિલાને સંબોધીત કરતા કહ્યુ કે અમારા માટે લોકો મુસ્લિમ અથવા તો કાફીર છે અને મુસ્લિમોનો દેશ પાકિસ્તાન છે. આસીયાએ કહ્યુ કે પાકિસ્તાનનો જન્મ રાષ્ટ્રીયતાના આધાર પર નહીં પણ ઈસ્લામના આધાર પર થયો છે. કાશ્મીરી પાકિસ્તાની મુસ્લિમ છે અને કાશ્મીર પાકિસ્તાનનું છે જયારે આસીયા ભડકાઉ ભાષણ આપી રહી હતી ત્યારે તેની આજુબાજુમાં બે મહિલાઓ બુરખામાં ઉભી હતી જેમાંથી એકના હાથમાં પાકિસ્તાનનો ઝંડો પણ હતો.

 

આસીયા પણ ઘણા સમયથી અશાંત કાશ્મીર ઘાટીમાં કાશ્મીરીઓને ભડકાવવાનું કામ કરે છે. દેશવિરોધી ભાષણોમાં તેનું નામ મોટાભાગે ચર્ચામાં આવે છે. આસીયાની ઘણી વાર ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે ઘણીવાર પાકિસ્તાનનો ઝંડો લહેરાવવા આપવાના આરોપમાં આસીયા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. વર્ષ ૨૦૧૫માં જમ્મુ કાશ્મીર પોલીસે આસીયાને સૌરામાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

આસીયા પર પાકિસ્તાની ઝંડો લહેરાવવા અને પાકિસ્તાનમાં ફોન દ્વારા એક રેલી કરવાનો આરોપ હતો. આસીક હુસૈન ફકતુ આસીયાનો પતિ છે. જે હિઝબુલ મુજાહીદ્દીનનો નેતા છે. હાલમાં ફકતુ જેલમાં બંધ છે.

દરમિયાન કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આસીયા અંદ્રાબીને લઈ એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે આસીયા અંદ્રાબી જે બેટી બચાવો અભિયાનનો ભાજપ અને પીડીપી સરકારનો ચહેરો હતી એ જ હવે પાકિસ્તાન ડે ઉજવી રહી છે. શું રાષ્ટ્રવાદી ભાજપ આનો જવાબ આપશે?(૩૭.૧૪)

(4:34 pm IST)