Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ભારત શાંતિથી નહીં બેસે :ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થશે : પાક,ના ત્રણ પૂર્વ વિદેશી સચિવોએ ઇમરાનખાનને ચેતવ્યો

ભયાનક વાતાવરણની તૈયારીમાં રહેવા પાકિસ્તાની નાગરિકોને અપીલ કરી

નવી દિલ્હી :ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ પૂર્વ વિદેશી સચિવોએ પાકિસ્તાની સરકારને ચેતવણી આપી છે કે ભારત તરફથી ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થઈ શકે છે એની સાથે નીપટવાની પૂરેપૂરી તૈયારી રાખે. કારણ કે આ વખતે ભારત શાંત બેસે એવું લાગતું નથી.

    એક પાકિસ્તાની અખબારમાં પ્રકાશિત મુજબ ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવ રિયાઝ હુસૈન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકએ મીડિયા, રાજકીય નેતૃત્વ, ગુપ્ત માહિતી સંસ્થાઓ અને પાકિસ્તાનના લોકોને અપીલ કરી છે કે તેઓ ભયાનક વાતાવરણની તૈયારીમાં રહે. વાતાવરણને સંતુલન કરવાનું અને પોતાને શાંતિથી પગલા લેવા માટે જવાબદારી સૌ કોઈ સંભાળો

 

 

(8:06 pm IST)