Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

‘‘સાત જનમકે બાદ ભાગ ૧ તથા ૨'': ઇન્‍ડિયન અમેરિકન ઓથર સુશ્રી કમલેશ ચૌહાણ લિખિત હિન્‍દી બુકનું ન્‍યુયોર્કમાં લોંચીંગ કરાયું

કેલિફોર્નિયાઃ ઇન્‍ડિયન અમેરિકન ઓથર સુશ્રી કમલેશ ચૌહાણ લિખિત હિન્‍દી બુક ‘‘સાત જનમકે બાદ ભાગ ૧ તથા ૨નું લોંચીંગ તાજેતરમાં ૧૨ નવેં.ના રોજ યુ.એસ.ના આર્ટેસિઆ, કેલિફોર્નિયા ખાતે કરાયુ હતું. જેમાં લેખિકાએ બુકમાં આવતા ઇતિહાસનું વિવેચન કર્યુ હતું.

આ પ્રસંગે સુશ્રી વસુંધરા પવારએ પેનલ ડીસ્‍કસનું સંચાલન કર્યુ હતું. તથા સુશ્રી અપર્ણા હાંડેએ લેખિકાનો પરિચય આપ્‍યો હતો. તથા તેમના સંચાલિત નોનપ્રોફિટ જાગૃતિ વિષયક માહિતિ આપી હતી. અંતમાં ભાંગરા નૃત્‍યના મનોરંજન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

 

(9:38 pm IST)