Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભારત સરકારે વિઝા ઉપરનો પ્રતિબંધ હટાવ્યો : OCI તથા PIO કાર્ડધારકો પણ હવે ભારત આવી શકશે : ટુરિસ્ટ વિઝા બાકાત

ન્યુ દિલ્હી : વિઝા મામલે ભારત સરકારે  મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ  ટુરિસ્ટ વિઝા સિવાયના તમામ વિઝા ઉપરનો પ્રતિબંધ દૂર કરી દીધો છે.તથા તમામ વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે મંજૂરી આપી દીધી છે.

OCI તથા PIO કાર્ડધારકો પણ  હવે ભારત આવી શકશે .સારવાર કરાવવા માટે આવવા ઇચ્છુક વ્યક્તિઓએ મેડિકલ વિઝા માટે અરજી કરવાની રહેશે .
ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં લોકડાઉન દરમિયાન વિદેશી નાગરિકો માટે ભારતમાં પ્રવેશ બંધી કરાઈ હતી.

(2:03 pm IST)