Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

વાહન ચાલકો માટે વિમા કવચ ૧પ લાખ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ ભારતીય વિમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (આઇઆરડીએઆઇ) એ બધા વાહન ચાલકો માટે અનિવાર્ય વ્યકિતગત દુર્ધટના (સીપીએ) વિમા કવર વધારી ૧પ લાખ કરી દીધું છે. જેના માટે રૂ. ૭પ૦  વાર્ષિક પ્રિમીયમ આપવાનું રહેશે. જયારે આનાથી વધારે કવર માટે વિમા ધારકોએ વધારાનું પ્રિમીયમ આપવું પડશે. હાલમાં દ્વિચક્રી વાહન, કાર, ધંધાદારી વાહન ચાલકોનું વિમા કવર ક્રમશઃ રૂ. ૧ લાખથી  રૂ. ર લાખ છે.

(12:53 pm IST)