Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સો મણનો સવાલ શું સરકાર શસ્ત્રોના સોદામાં ખાનગી કંપનીનું નામ સૂચવી શકે?

શું રફાલ સોદો ભારતીય રાજનીતિમાં એક એવો જિન્ન બની ગયો છે જે કેન્દ્ર સરકારના તમામ પ્રયત્નો પછી પણ બાટલીમાં પૂરી શકાયો નથી.

આ સોદા સાથે જોડાયેલી કોઈ ને કોઈ એવી નવી વિગતો સામે આવતી જાય છે જેને લીધે કેન્દ્ર સરકાર સામે સતત મુશ્કેલ સવાલો ઊભા થઈ રહ્યા છે.

રફાલ સોદામાં કિંમતો વધવાનો મુદ્દો તો વિપક્ષ છેલ્લા ઘણાં મહિનાઓથી ઉઠાવી રહ્યો હતો, પરંતુ શુક્રવારે ફ્રાન્સના મીડિયામાં આવેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદને આ આખા વિષય ઉપર 'સવાલ અને શક' પેદા કરી દીધાં.

ફ્રાન્સના મીડિયામાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન આવ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રફાલ વિમાન બનાવવાના કરાર માટે 'ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાંસની પાસે આ સંબંધમાં કોઈ વિકલ્પ નહોતો.'

આ મુદ્દે ભારતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ. જ્યાં એક તરફ વિપક્ષ મોદી સરકાર ઉપર હુમલાખોર બની ગયો છે તો બીજી તરફ રક્ષા મંત્રાલય તરફથી પણ ખુલાસો રજુ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે 'ઓલાંદના નિવેદનની તપાસ કરવામાં આવશે.'

આ દરમિયાન ફ્રાંસની હાલની સરકાર તરફથી આ બાબતે એક નિવેદન આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે આ સોદામાં કઈ કંપનીની પસંદગી કરવામાં આવનારી હતી, એમાં 'ફ્રાંસ સરકારે કોઈ ભૂમિકા ભજવી નથી.'

(12:23 pm IST)