Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વજન ઓછુ કરવું છે ? આ ૭ શાકભાજીનું જ્યુસ પીવાથી થશે ફાયદો

જો તમારૃં વજન ખૂબ જ ઝડપથી વધતુ હોય તો ઝડપથી ઓછું કરવા માટે આ શાકભાજીને પોતાના ભોજનમાં સામેલ કરી શકાય

નવી દિલ્હી,તા. ૨૩: કોરોના મહામારીએ ફરીથી આખા દેશ ઉપર ભરડો કસ્યો છે. જેટલું બની શકે તેટલું ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા એકથી વધુ વર્ષથી અનેક લોકો ઘરોમાં પુરાયેલા છે. ઘણા લોકો લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જેના પરિણામે તેમનું વજન વધી રહ્યું છે.

આવી સ્થિતિમાં સ્થૂળતા અથવા જાડાપણું એક ગંભીર સમસ્યા બની જાય તેમ છે. સ્થૂળતાના કારણે અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. આ બીમારીઓ કયારેક જોખમી પણ સાબિત થાય છે. માટે, જો તમારું વજન ખૂબ જ ઝડપથી વધતું હોય તો ઝડપથી ઓછું કરવા માટે આ શાકભાજીને પોતાના ભોજનમાં સામેલ કરી શકાય.

લીલા શાકભાજી ખાવા તંદુરસ્તી માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક શાકભાજીનું જયુસ બનાવીને પણ પી શકાય છે. આવા શાકભાજીથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબરથી ભરપૂર હોવાના કારણે રોગપ્રતિકારક શકિત પણ વધે છે અને વજન ઘટે છે. આવા શાકભાજીમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તો ચાલો કયા શાકભાજીનું જયુસ પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને સ્થૂળતા સંબંધિત બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે તે જાણીએ.

દૂધીનું જયુસ : દરરોજ સવારે એક ગ્લાસ દૂધીનુ જયુસ પીવાથી આખો દિવસ ઊર્જા મળે છે. શરીરમાં બ્લડ સકર્યુલરને વધારે છે અને ત્વચાને ચમક આપે છે. દૂધીના પીવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. પરિણામે જાડાપણું દૂર થાય છે. દૂધીને ઉકાળીને મીઠું નાખી તે પીવાથી વજન થોડા સમયમાં ઘટવા લાગે છે. આ જયુસમાં વિટામિન, આયરન, પાણી અને ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

ટામેટાનું જયુસ : ટામેટાનું નિયમિત પીવાથી કમરની ચરબીની સમસ્યા દૂર થાય છે. ટમેટામાં સોડિયમ, ફેટ, કોલેસ્ટ્રોલ, કેલેરી સહિતના તત્વો મળી આવે છે.

બિટનું જયુસ : બીટના જયુસમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, ફિલેટ જેવા પોષક તત્વ હોય છે. બીટનું જયૂસ પીવાથી લાંબા સમય સુધી કસરત કરવા છતાં થાક લાગતો નથી.

કારેલાનું જયુસ : સ્વાદના કડવા કરેલા આરોગ્ય માટે મધમીઠા સાબિત થાય છે. આયુર્વેદ મુજબ કારેલા ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડીને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે. તે શરીરની અંદર વધુ પડતી સુગરના સ્તરને નિયંત્રિત કરીને વજનને પણ નિયંત્રિત કરે છે. કારેલામાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને ઓછી માત્રામાં કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાલકનું જયુસ : પાલકમાં થાયલાકોઇડસ હોય છે. જેનું નિયમિત સેવનથી વજન નિયંત્રિત રહે છે. ભૂખ ઓછી લાગે છે. પાલકમાં વિટામિન એ, વિટામિન બી૨, સી, ઈ અને કે તેમજ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ફોલેટ, પ્રોટીન અને ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે.

કોબીજનું જયુસ : કોબીજ ફાયબરથી ભરપૂર હોય છે. ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી વજન નિયંત્રિત થાય છે.

(10:09 am IST)