Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સત્યની આખરે જીત થઇ ગઇ : કેજરીવાલનો દાવો

પ્રતિનિધિઓને ખોટીરીતે બરખાસ્ત કરાયા હતા : દિલ્હી હાઈકોર્ટે લોકોને ન્યાય આપ્યો અને આ દિલ્હીના લોકોની મોટી જીત : એએપી દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ

નવીદિલ્હી, તા. ૨૩ : દિલ્હી હાઈકોર્ટે એએપીના ૨૦ ધારાસભ્યોની મેમ્બરશીપને યથાવત રાખવાનો ચુકાદો આપ્યા બાદ એએપીમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી કેજરીવાલે આ ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું છે કે, સત્યની આખરે જીત થઇ છે. કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીના લોકો દ્વારા ચુંટી કાઢવામાં આવેલા પ્રતિનિધિઓને ખોટીરીતે બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. હાઈકોર્ટે દિલ્હીના લોકોને ન્યાય આપ્યો છે. દિલ્હીના લોકોની આ મોટી જીત થઇ છે. બીજી બાજુ એએપીના નેતા અલકા લાંબાએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, કોર્ટના ચુકાદા બાદ તમામ ૨૦ ધારાસભ્ય તરીકે રહેશે. ભાજપની હાર થઇ છે. જે સરકાર ગબડાવી દેવાના પ્રયાસ કરી રહ્યા હતા તેમને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ એએપીના ધારાસભ્યો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. કાર્યકરો ઉજવણી કરવા માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા. મિઠાઈઓ વહેંચવામાં આવી હતી.

(7:48 pm IST)