Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં હિંસક બનાવો બાદ મોડીરાત્રે ડીજીપીએ કરી પોલીસ કમિશનર સાથે ચર્ચા

કાયદો વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા સૂચના;વધારાની પોલીસ ફાળવવા પણ વાતચીત

અમદાવાદ :શહેરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજ્યા બાદ શહેરમાં હિંસા અને આગજની ફાટી નીકળી હતી.ઠેર ઠેર વાહનો અને કેટલાય સિનેમાગૃહોમાં આગ લગાવવામાં આવી હતી. મામલે મોડી રાત્રે ડીજીપી દ્વારા  શહેર પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા સૂચના આપી દેવાઈ હોવાનું જાણવા મળે છે.
   
ઉપરાંત વધુ પોલીસ બંદોબસ્ત માટે વધારની પોલીસ ફોર્સ ફાળવવા માટે પણ ચર્ચા કરાઈ હતી. શહેર પોલીસ કમિશનરે બાબતે જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રદર્શનકારી તત્વો સામે કડક પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે, અમે હાલ દરેક જગ્યાએ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે

(8:55 am IST)