Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાકિસ્‍તાન આગામી સપ્તાહમાં ભારતના ૨૯૧ માછીમારોને જેલમુક્‍ત કરશેઃ ૨૯ ડિસેં. ૨૦૧૭ તથા ૮ જાન્‍યુ ૨૦૧૮ના રોજ બે વિભાગમાં વાઘા બોર્ડરથી રવાના કરાશે

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાન આગામી સપ્તાહમાં માનવતા તથા શુભેચ્‍છાના ધોરણે ૨૯૧ ભારતીય માછીમારોને જેલમુક્‍ત કરશે. જેઓને બે વિભાગમાં એટલે કે ૨૯ ડિસેં. ૨૦૧૭ તથા ૮ જાન્‍યુ ૨૦૧૮ ના રોજ ભારત પરત જવા વાઘા બોર્ડર મારફત રવાના કરશે. તેવું પાકિસ્‍તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા ડો.મોહમ્‍મદ ફેઝલએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું હતું.

(11:13 pm IST)