Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કોંગ્રેસની હાલત વરરાજા વગરની જાન જેવી :નેતૃત્વનો અભાવ :રાજનાથસિંહ

કોંગ્રેસ ડરને કારણે સીએમ અને પીએમના ઉમેદવારોની ઘોષણા નથી કરતી.

ભોપાલ :મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની હાલાત વરરાજા વગરના જાન જેવી છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે.

એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા રાજનાથે કહ્યું કે સંપેક્ષમાં કહુ છુ કે કોંગ્રેસ પાર્ટી વરરાજા વગરની જાન જેવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વનો આભાવ છે.

કોંગ્રેસની સરખામણી BJP સાથે કરતા કહ્યું કે ચૂંટણી પહેલા તેમની પાર્ટીના PM અને CMના ઉમેદવારોની જાહેરાત કરે છે. પરંતુ કોંગ્રેસ તેમના ઉમેદવારોની ઘોષણા નથી કરતી. તેઓ આવું કરવાથી ડરે છે.

(1:04 am IST)