Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

૧ ઓગસ્ટે મનાવાશે બકરી ઈદ

નવી દિલ્હી, તા.૨૨: દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ જાહેરાત કરતા કહ્યું કે મંગળવાર ઈદ ઉલ અજહાનો ચંદ્ર જોવા મળ્યો નથી. માટે ઈદ ઉલ અજહા (બકરી ઈદ) હવે તારીખ ૧ ઓગસ્ટના રોજ મનાવાશે. મંગળવારના દિવસે ચંદ્ર દેખાયો નથી, જેના કારણે હવે બકરી ઈદ તારીખ ૧ ઓગસ્ટના રોજ મનાવાશે.

આ સિવાય ફતેહપુરી મસ્જિદના શાહી ઈમામ ડોકટર મુફ્તી મોહમ્મદ મુકર્રમે પણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઈદ ઉલ અજહાનો ચંદ્ર જોવા મળ્યો નથી. માટે ઈદ ઉલ અજહા (બકરી ઈદ) હવે તારીખ ૧ ઓગસ્ટ, શનિવારના રોજ મનાવાશે.

(10:22 am IST)