Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

દાતી મહારાજ અને સાથીઓએ મારા જેવી અનેક છોકરીઓ પર બળાત્કાર કર્યો હતો

આશ્રમમાંથી ૬૦૦ યુવતી કેમ ભાગી ગઇ તપાસ કરવોઃ પીડિતાની માગ

નવીદિલ્હી, તા.૨૨: દાતી મહારાજની હવસનો કથિત ભોગ બનેલી પીડિતાએ આજે કેમેરા સમક્ષ કહ્યું હતું કે દાતી મહારાજ અને તેમના સાથીઓએ મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહારાજ જે પડયંત્ર અને આર્થિક લાભની વાત કરે છે તે તદ્દન વાહિયાત છે.

પોલીસ હજુસુધી મહારાજની ધરપકડકેમ કરી નથી તેન નવાઇની વાત છે. જો દાતી સામે કોઇ કાર્યવાહી નહીં થાય તો બળાત્કારીઓ આમ જ દેશમાં ફરતા રહેશે અને યુવતીઓની લાજ લુંટાતી રહેશે. પીડિતાએ કહ્યું હતું કે તે પંદર વર્ષથી આશ્રમમાં રહેતી હતી અને દાતી મહારાજના કોની સાથે અનૈતિક સબંધો હતાતે તમામ વાતો તે જાણતી હતી. જો કે અનેક યુવતીઓ ભયના કારણે આગળ આવતી નથી. ' મહારાજે એમ પણ કહ્યું હતું કે હું જ તમારો ભગવાન છું. પરિણામે અનેક યુવતીઓ તેમને ભગવાન સમજી તેમણે તન સમર્પિત કરતી હતી. દાતી મહારાજે જે કંઇ કર્યુ છે તે માફીને લાયક નથી' એમ પીડિતાએ કહ્યું હતું. તેણે કહ્યું  હતું કે મને લાગે છે કે મને ન્યાય નહી મળે. તમામ યુવતીઓએ જાહેરમાં આવીને મહારાજના કરતુતોને ખુલ્લા પાડવા જોઇએ, તો જ મને ન્યાય મળશે.(૨૨.૬)

(11:55 am IST)