Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

આરએસએસનું અનુસરણ કરો

એનસીપી નેતા જયંત પાટીલની કાર્યકરોને સલાહ

પૂણે તા. ૨૨ : સામાન્‍ય રીતે વિપક્ષોના નેતાઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની કડક ટીકાઓ કરતા હોય છે પણ એનસીપીના પ્રદેશ અધ્‍યક્ષ જયંત પાટીલે પોતાના કાર્યકરોને આરએસએસનું અનુકરણ કરવાની અપીલ કરી છે. પૂણેમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, આરએસએસના લોકો રોજ સવારે આપસમાં મળે છે અને પોતાના સંગઠનને મજબૂત બનાવવા બાબતે ચર્ચા કરે છે. પાટીલે કહ્યું કે, આવી જ રીતે એનસીપી કાર્યકરોએ પણ રોજ સવારે આપસમાં મળીને પક્ષને મજબૂત બનાવવાની યોજના બનાવવી જોઇએ.

તેમણે કહ્યું કે, કાર્યકરોએ કંઇ નહી તો દર શનિવારે તો જરૂર મળવું જોઇએ. તેનાથી પક્ષનું આરોગ્‍ય સારૂ રહેશે અને તે ફીટ રહેશે. એનસીપી પ્રદેશ અધ્‍યક્ષે કહ્યું કે જો આપણને ક્‍યાંયથી પણ કંઇ સારૂ શીખવા મળ્‍યું હોય તો આપણે તેનાથી પરહેજ ના કરવું જોઇએ. મારૂ કહેવું છે કે, શનિવાર બજરંગબલીનો દિવસ છે. એ દિવસે એનસીપી કાર્યકરોએ આપસમાં મળીને ચર્ચા કરવી જોઇએ.

(4:56 pm IST)