Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કર્ણાટકના ધારવાડ જિલ્લામાં નવનિર્મિત ઈમારત ધરાશયી :કાટમાળમાં 80 લોકો દટાયાની આશંકા

આ ઇમારત જિલ્લાનું પાંચમું સૌથી મોટું બિલ્ડીંગ હતું

કર્ણાટકના ધારવાડ જિલ્લાના એક નવનિર્મિત ઇમારત ધરાશાયી થતા 80 લોકો કાટમાળમાં દટાયા હોબાની આશંકા છે ધારવાડ જિલ્લાના કુમારેશ્વર નગરમાં એક અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ બિલ્ડીંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 80 લોકો દટાયા હોવાની આશંકા છે.

   ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. આ ઇમારત જિલ્લાનું પાંચમું સૌથી મોટું બિલ્ડીંગ હતું. એવી શંકા છે કે કાટમાળમાં 80 લોકો દટાયા છે

 લોકોમાં એવી ચર્ચા છે કે નબળી બાંધકામ ક્વોલિટીના કારણે જ ઇમારત ધરાશાયી થઈ હોવાની શક્યતા છે.

(12:06 pm IST)