Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

નોઈડાની વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલે બે શિક્ષકો અને શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ

પરિવારજનોનું શાળા બહાર વિરોધ પ્રદર્શન :સીબીઆઈ તપાસ અને શાળાનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માંગણી

દિલ્હીના નોઈડા ખાતે વિદ્યાર્થીનિની હત્યા મામલે પોલીસે બે શિક્ષક અને શાળાના આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે જોકે આ મામલે તપાસથી અસંતુષ્ટ વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.આ ઉપરાંત શાળાનું લાયસન્સ રદ્દ કરવાની પણ માંગ કરી છે. ગત્ત દિવસે દિલ્હીના નોઈડાના મયુરવિહારમાં આવેલી જાણીતી શાળામાં અભ્યાસ કરતી ઈકિશા શાહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઈકિશાના પરિવારજનોનો આરોપ છે કે, શાળાના બે શિક્ષકો દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી. સમગ્ર મામલો સામે આવતા નોઈડા પોલીસે આ મામલે તપાસ હાથધરી છે. ત્યારે આ મામલે શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે છેડછાડ અને તેને નાપાસ કરી હોવાના આક્ષેપ ફગાવ્યા છે.

(9:05 pm IST)