Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાહુલ ગાંધી બાદ હવે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની સાવરકર અંગેની ટિપ્પણીથી વિવાદ

તુષાર ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે સાવરકરે ફક્ત બ્રિટિશરોને જ મદદ નહોતી કરી. બાપુની હત્યા કરવા ગન શોધવા માટે ગોડસેને પણ મદદ કરી હતી

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે.  રાહુલ બાદ હવે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સાવરકર અંગે કરેલી ટ્વિટથી વિવાદ થયો છે. તુષાર ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે સાવરકરે ફક્ત બ્રિટિશરોને જ મદદ નહોતી કરી. બાપુની હત્યા કરવા ગન શોધવા માટે ગોડસેને પણ મદદ કરી હતી.

 તુષાર ગાંધીએ કહ્યું કે હત્યાના બે દિવસ પૂર્વે સુધી ગોડસે પાસે 9 mm સેમિ ઓટોમેટિક ગન નહોતી. ગુજરાતની મુલાકાતે આવેલા તુષાર ગાંધીએ આ દરમ્યાન તેમણે જણાવ્યું કે બાપુને મારવા માટે ગોડસે પાસે ગન નહોતી. તેઓ મુંબઇમાં શસ્ત્ર શોધવા માટે રખડી રહ્યા હતા. જે બાદ સાવરકરે તેને ગન શોધવા માટે મદદ કરી. મેં જે ટ્વિટ કર્યું છે તેમાં એક પણ વાત મારા તરફથી નથી કરી.કપૂર કમિશનના રિપોર્ટમાં જ આ તમામ બાબતોનો ઉલ્લેખ છે.

(10:10 pm IST)