Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજ્યપાલ કોશ્યારીને મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી ખબર તેમને બીજે ક્યાંક મોકલો

છત્રપતિ શિવાજી મહારાજ પર ટિપ્પણીને લઈને ભડક્યા શિંદે જૂથના ધારાસભ્ય

મુંબઈ : છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં હંગામો શરૂ થયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના બાલાસાહેબચી શિવસેનાના ધારાસભ્યએ ભગતસિંહ કોશ્યારીને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને સંજય ગાયકવાડે તેમને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. બુલઢાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગાયકવાડે દાવો કર્યો હતો કે કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક વિરુદ્ધ ટિપ્પણી કરી હતી

  રાજ્યપાલ કોશ્યારીએ ભૂતકાળમાં પણ અનેક વિવાદો સર્જ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની સરખામણી વિશ્વના અન્ય કોઈ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં. તેમણે કેન્દ્રના ભાજપના નેતાઓને અનુરોધ કર્યો હતો કે જે વ્યક્તિને રાજ્યનો ઈતિહાસ, તે કેવી રીતે કામ કરે છે તેની જાણ નથી, તેને બીજી જગ્યાએ મોકલવામાં આવે.

 

(7:10 pm IST)