Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બિહારઃ વૈશાલીમાં ભીષણ રોડ અકસ્‍માતઃ બેકાબૂ ટ્રકે પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્‍યાઃ ૧૨ના મોત

મરનારા લોકોમાં ૭ બાળકો પણ સામેલ છેઃ તમામ એક જ ગામના રહેવાસી

વૈશાલી,તા.૨૧: બિહારના વૈશાલીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. વૈશાલીના દેશરીમાં ભીષણ રોડ અકસ્‍માત થયો છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે. જયારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાની સૂચના મળી છે. ઘટના દેશરી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના નયાગંજ-૨૮ ની હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં ઘાયલ ચાર લોકોની સારવાર સદર હોસ્‍પિટલમાં થઈ રહી છે. મરનારા લોકોમાં ૭ બાળકો પણ સામેલ છે. તમામ એક જ ગામના રહેવાસી હતી. ઘટના પર પહોંચેલા ડીએમ અને એસપી આક્રોશિત લોકો સાથે વાતચીત કરી હતી.

કહેવાય છે કે, મહનાર-મોહદ્દીનગર એસએચ પર બ્રહ્મસ્‍થાનની પાસે લોકો ભુઈયાં બાબાની પૂજા દરમિયાન નેવતન પૂજા કરી રહ્યા હતા. આ તમામની વચ્‍ચે એક બેકાબૂ ટ્રક લોકોને કચડતો આવી પહોંચ્‍યો. આ ઘટનામાં ૧૨ લોકોના મોત થઈ ગયા છે. તો વળી ટ્રક ચાલક ગાડીમાં ફસાઈ ગયો છે. અમુક લોકો ટ્રકની અંદર દબાયેલા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ઘટનાસ્‍થળે લોકોની ભારે ભીડ ઉમટી છે. પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ છે. કહેવા છે કે ટ્રક ચાલક દારુના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો. મનોજ રાયના શખ્‍સના ઘરે ભુંઈયા બાબાની પૂજા ચાલી રહી હતી, જેમાં લોકો ભેગા થયા હતા. મરનારા લોકોમાં બાળકો પણ સામેલ છે.

ટ્રક ચાલક પણ ગાડીમાં ફસાયેલો છે. ડ્રાઈવરને લોકો બહાર કાઢવા દેવા માગતા નથી. જયારે પોલીસ ટ્રક ચાલકને બહાર કાઢવાના પ્રયાસ કરી રહી છે. આ તમામની વચ્‍ચે આ વિસ્‍તારના ધારાસભ્‍ય પણ ત્‍યાં પહોંચ્‍યા, તેમણે દુઃખ વ્‍યક્‍ત કર્યું. આક્રોશિત લોકો સાથે વાતચીત પણ કરી હતી.

(11:34 am IST)