Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતની મુલાકાતઃ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીનું સ્‍વાગતઃ થોડીવારમાં જનસભાને સંબોધશે

 પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવવા પહોંચ્યા છે.

 વેરાવળઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પોતાના ગઢમાં ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.  પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવવા પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે, PM મોદી સવારે વલસાડથી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કરી. પીએમ મોદીનો સોમનાથ સાથે જૂનો સંબંધ છે. એવું કહેવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય જ સોમનાથથી થયો છે.

(12:00 am IST)