Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મહારાષ્ટ્રમાં ખેડૂતોની કૂચને શિવસેનાનો ટેકો :સરકાર સાથે વાતચીતની ખાતરી

મુંબઈમાં ખેડૂતોની કૂચ પર શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યુ છે કે તેમની પાર્ટી ખેડૂતોની સાથે છે. મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના મામલે વધારે સંવેદનશીલ હોવું જોઈએ તેવું પણ શ્રીકાંત શિંદેએ જણવ્યું છે.

 શિવસેનાના નેતા શ્રીકાંત શિંદેએ કહ્યુ છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટી સરકારની સાથે ખેડૂતોના મામલે વાતચીત કરશે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે જ્યારે જ્યારે દેશના ખેડૂતો અથવા મહારાષ્ટ્રના ખેડૂતો સડકો પર હોય છે. ત્યારે શિવસેના તેમના મુદ્દાને ઉઠાવે છે.

(9:30 pm IST)