Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

તાડપત્રીમા બેઠેલા ભગવાન રામના છેલ્લીવાર દર્શન :હવે અયોધ્યામાં આવશે ત્યારે મંદિર જોવા મળશે :ભૈયાજી જોશી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામલલાની પૂજા અર્ચના કરી છે. સોમવારે અયોધ્યા આવેલા ભૈય્યાજી જોશીએ કહ્યુ હતુ કે તાડપત્રીમાં બેઠેલા ભગવાન રામના તેઓ છેલ્લીવાર દર્શન કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જ્યારે તેઓ આગામી વખતે અયોધ્યા આવશે. ત્યારે તેમને ભગવાન રામનું ભવ્ય મંદિર જોવા મળશે.

   પચ્ચીસ નવેમ્બરે અયોધ્યામાં યોજાનારી ધર્મસભા પહેલા આરએસએસમાં દ્વિતિય ક્રમાંકના સૌથી શીર્ષસ્થ નેતા ભૈય્યાજી જોશીનું નિવેદન ભાજપ અને મોદી સરકાર પર રામમંદિર નિર્માણ માટે વટહુકમ અથવા કાયદો લાવવા માટેના દબાણ તરીકે જોવાઈ રહ્યું છે. સાધુ-સંતોની હાકલ પર 25 નવેમ્બરે આયોજીત થનારા સમારંભમાં મોટી સંખ્યામાં રામભક્તોના એકઠા થવાની શક્યતા છે.

(2:45 pm IST)