Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

CBSE દ્વારા ધો.૧૨નુ પરિણામ ૩૧ જુલાઈએ જાહેર કરવામાં આવશે

પરીણામ સામે થયેલી રીટ સામે સુપ્રિમ કોર્ટમાં સીબીએસઈનુ સોગંદનામુ

રાજકોટ, તા. ૨૧ :. ધો. ૧૨ના પરિણામ અંગે આજે સીબીએસઈએ સુપ્રિમ કોર્ટમાં નવુ સોગંદનામુ રજૂ કર્યુ હતુ. જેમાં ૩૧ જુલાઈના પરિણામ જાહેર કરવાનું જણાવ્યુ છે.

ધો. ૧૨ના પરિણામ અંગે સીબીએસઈએ આજે સુપ્રિમ કોર્ટમાં  જણાવ્યુ છે કે ૩૧ જુલાઈના પરિણામ જાહેર થશે. વૈકલ્પીક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવશે. વૈકલ્પીક પરીક્ષા ૧૫ ઓગષ્ટથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે લેવાશે. આ વૈકલ્પીક પરીક્ષાના ગુણને આખરી ગુણ માનવામાં આવશે.

(4:41 pm IST)