Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કર્ણાટક રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે પણ અનામત લાગુ કરાશે

કર્ણાટક : કર્ણાટક રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે પણ અનામત લાગુ કરાશે.
સરકારે બહાર પાડેલી  જાહેર  નોટિસ મુજબ જનરલ કેટેગરી સહીત એસ.સી. એસ.ટી. ઓબીસી ,સહીત તમામ કેટેગરીમાં ટ્રાન્સજેન્ડર માટે  1 ટકો  અનામત રહેશે.જેના અનુસંધાને 15 દિવસ સુધીમાં કોઈ વાંધા વચકા નહીં આવે તો  તેને કાયદાનું સ્વરૂપ અપાશે.જેનો હેતુ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પ્રત્યેનો ભેદભાવ દૂર કરવાનો છે. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(2:21 pm IST)