Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સંપતિના વિવાદમાં બે દિવસ સુધી ન કર્યા પિતાના અંતિમ સંસ્કાર

મૃતક પિતાના બે પુત્રો મિલકત માટે ઝઘડી પડ્યા : એકબીજા પર આરોપ લગાવવામાં પિતાના અંતિમ સંસ્કાર પણ ના કર્યા :નાના ભાઇએ આરોપ લગાવ્યા કે મોટાએ વસિયત નામે કરાવી લીધી : પરિવારના લોકોનો આરોપ છે કે મોટા ભાઇએ મહિના પહેલા પિતાનો વીમો લીધો અને નોમિનીમાં પોતાનું જ નામ રાખ્યું : પોલીસે સમજાવ્યા બાદ બે દિવસે પિતાના અંતિમ સંસ્કારને માટે રાજી થયા

લખનઉ,તા.૨૧: ફાધર ડેની ઉજવણી વચ્ચે ઉત્ત્।ર પ્રદેશના મૈનપુરીમાંથી એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. જેમાં મૃત્યુ પામેલા પિતાની સંપત્ત્િ। માટે લડી રહેલા બે પુત્રોના કંકાસને લીધે બે દિવસથી પિતાના મૃતદેહનો અંતિમ સંસ્કાર થવા પામ્યો નથી.

મૈનપુરી જિલ્લામાં આવાસ યોજનામાં મકાનના માલિકે કયારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, જે મકાન તેમણે મહામહેનતે વસાવ્યું હતું એના જ દરવાજે મૂકેલા તેમના મૃતદેહ સામે તેમના પુત્રો મિલકત માટે સોદો કરી રહ્યા હશે.

આખો કેસ પિતાના મૃત્યુ પછી બે ભાઇઓમાં મિલકતની વહેંચણીને લઇને હતો. જેમાં પિતાના નાના પુત્રએ તેના મોટા ભાઇ પર આરોપ લગાવ્યો છે કે, તેણે પાંચ દિવસ પહેલાં પિતા પાસેથી વસિયત લખાવી લીધી અને મોકો જોઇને પિતાની હત્યા કરી નાંખી છે. આ પ્રકારની ફરિયાદ પર પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો, જેમાં મૃત્યુનું કારણ અલગ આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી પોલીસે ધરપકડ કરેલા મોટા પુત્રને મુકત કર્યો હતો. જયારે પરિવારના અન્ય સભ્યો આરોપ લગાવી રહ્યા છે કે મોટો પુત્ર એલઆઇસી એજન્ટ છે તેણે મહિના પહેલા પિતાનો વીમો લીધો હતો જેમાં નોમિની તરીકે પોતાનું નામ રાખ્યું હતું. વીમાની રકમ ૫૦ લાખ રુપિયા હતી.

મિલકત માટે થઇ રહેલા વિવાદમાં પરિવારના સભ્યો બીજી વાર પોસ્ટ મોર્ટમની માંગ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે સમજાવીને પરત મોકલ્યા ત્યારે મૃતક પિતાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો હતો.

(10:17 am IST)