Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

જેટના કર્મીઓને ભરતી કરવા અન્ય એરલાઈન્સ તૈયાર થઈ

ઓછા પગારમાં પણ ભરતી કરી શકે : અહેવાલ : કુશળ કર્મચારીઓની માંગ હજુ પણ અકબંધ : અહેવાલ

મુંબઈ, તા. ૨૧ : દેવાના કારણે બંધ કરવામાં આવેલી જેટ એરવેઝના કર્મચારીઓના ભાવિ ચોક્કસપણે અદ્ધરતાલ બનેલા છે. ૨૨ હજારથી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે પરંતુ અન્ય એરલાઈન્સો કુશળ અને અનુભવી લોકોને તેમની ટીમમાં સામેલ કરવા તૈયારી કરી છે. જોકે જેટ એરવેઝમાં તેમને મળી રહેલા પગાર કરતા ઓછા પગારમાં તેમને સામેલ કરવામાં આવી શકે છે. ભારતીય ઉડ્ડયન સેકટરમાં ટેલેન્ટની હજુ પણ જરૂર દેખાઈ રહી છે. ભારતીય ઉડ્ડયન સેકટર વિશ્વમાં સૌથી ઝડપથી આગેકૂચ કરનાર સેકટર છે. જેટ એરવેઝની સેવા ૨૬ વર્ષ સુધી જારી રહી હતી. કોન્ટ્રાક્ટ ઉપર રહેલા કર્મચારીઓ પૈકી તેમાં કુલ કર્મચારીઓની સંખ્યા ૨૩ હજાર જેટલી હતી. ૧૭મી એપ્રિલના દિવસે જેટ એરેઝની સેવા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે જેટના કર્મચારીઓને લેવા માટે અન્ય એરલાઈન્સ ઈચ્છુક દેખાઈ રહી છે. ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં તેમને વહેલીતકે સામેલ કરવામાં આવી શકે છે. ખાસ કરીને ઈન્ડિયન એરલાઈન્સ અને સ્પાઈસ જેટની નજર જેટના કર્મચારીઓ ખાસ કરીને પાયલોટ અને કેબિન ક્રુ પર કેન્દ્રિત છે.દરમિયાનગીરી કરી હોત તો જેટને ભવિષ્ય માટે ટિકિટ વેચતા પહેલા પણ રોકી શકાયા હોત. બીજી બાજુ જેટ એરવેઝના કર્મચારીઓ પોતાના પગારને લઈને પણ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. પોતાના બાકી પગાર અને કંપનીને આંશિક મદદ આપવાને લઈને રાષ્ટ્રપિત રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્મચારીઓ પત્ર લખી ચુક્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીને પણ મળીને મદદની માંગ કરવામાં આવી રહી છે.

 જેટની ઉડાણ ઠપ થવાથી તેના ૨૨ હજારથી વધુ કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. કર્મચારીઓની નોકરી એકબાજુ ખતરામાં આવી ગઈ છે ત્યારે બીજી બાજુ તેમની પારિવારિક સ્થિતિ પણ ખરાબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નાગરિક ઉડ્ડયનમાં રાજ્યમંત્રી જયંત સિંહાએ આશા વ્યક્ત કરતા કહ્યું છે કે કંપનીના તમામ કુશળ કર્મચારઓને ટુંક સમયમાં જ નોકરી મળી જશે.

(7:59 pm IST)