Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસની નિવૃત્તિ માટે ગઢડા સ્વામિ, મંદિરના સંતોએ યજ્ઞ શરૂ કર્યો

યજ્ઞ કરીને ભગવાનને લોકોનાં દુખ હરવાની પ્રાર્થના

 

ગુજરાત સહિત વિશ્વના લોકોને કોરોના વાયરસની નિવૃત્તિ માટે માટે ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. યજ્ઞમાં કોરોના વાયરસના કારણે સંતો માસ્ક પહેરીને યજ્ઞમાં બેઠા હતા. સંતોએ મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર ફેલાવ્યો છે. વિશ્વશાંતિ માટે કોરોના વાયરસની નિવૃત્તિ અર્થે ગઢપુર ખાતે પ્રભુના સાનિધ્યમાં યજ્ઞ શરૂ કર્યો છે.

. વિશ્વમાં કોરોના વાયરસની નિવૃત્તિ માટે સંતો દ્વારા યજ્ઞ કરીને ભગવાનને લોકોનાં દુખ હરવાની પ્રથાના કરવામાં આવી રહી છે.

(12:29 am IST)