Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જમ્મુ-કાશ્મીરના બડગામમાં બે આતંકીઓ ઠાર

જિનપંચલમાં મસ્જિદમાં સુરક્ષાદળોને ત્રણ થી ચાર આતંકીઓ સંતાયા હોવાની બાતમીથી સર્ચ ઓપરેશન

જમ્મુ કાશ્મીરના બડગામમાં આ સમયે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બડગામના જિનપંચલમાં સેના અને સુરક્ષાબળોને ત્રણથી ચાર આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. લેટેસ્ટ ખબર અનુસાર બે આતંકીઓ ઠાર માર્યાની ખબર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ અહીં ચારી મસ્જિદમાં સંતાયા હતા. સુરક્ષાબળોએ મસ્જિદને ચારે તરફથી ઘેરી લીધી હતી

આ એન્કાઉન્ટરમાં સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ સહીત જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ જોઈન્ટ ટીમ શામિલ છે. આ એન્કાઉન્ટરમાં હજુ વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે. સુરક્ષાબળોને અહીં ઇન્ટેલિજન્સ મળ્યા પછી કાંસો લોન્ચ કરવામાં આવ્યું. સર્ચ ઓપટ્રેશન દરમિયાન સુરક્ષાબળો પર ફાયરિંગ થઇ અને જોતજોતામાં સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું. હતું .

(1:36 pm IST)