Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

' ન્યાય ' ફિલ્મના પ્રસારણ ઉપર સ્ટે આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર : સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ ઉપર આધારિત ફિલ્મ બનાવી નાણાં કમાવાની કોશિશ બદલ સુશાંતના પિતાએ સ્ટે માંગ્યો હતો

ન્યુદિલ્હી : બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોરસિંહે ' ન્યાય ' ફિલ્મના પ્રસારણ ઉપર દિલ્હી હાઇકોર્ટ સમક્ષ સ્ટે ની માંગણી કરી હતી.

'' જસ્ટિસ -સુસાઇડ ઓર મર્ડર '  ફિલ્મના  અભ્યાસ પછી તેમણે જણાવ્યું હતું કે પોતાના પુત્રના અવસાનનો લાભ લઇ તેના મોતનો પણ મલાજો જાળવવાને બદલે અમુક લોકો તેના પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. જે મારા પુત્ર સુશાંતની લાઇફ સ્ટાઇલ ,તથા જીવન ઉપર આધારિત છે. આથી આ ફિલ્મના પ્રસારણને રોકવું જરૂરી છે. વ્યક્તિની ખાનગી માહિતી જાહેર કરવી તે બાબત ગોપનીયતાનામૂળભૂત અધિકારનો ભંગ છે.

નામદાર કોર્ટે  ફિલ્મના પ્રસારણ વિરુદ્ધ સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.

વરિષ્ઠ એડવોકેટ ચંદર લાલ અને એડવોકેટ હિરેન કામોડ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ વતી હાજર રહ્યા હતા. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)