Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મધ્યપ્રદેશ મંત્રી મંડલના વિસ્તરણ પર ધમાસાણઃ પીએમ મોદી અને બે વખત શાહને મળ્યા શિવરાજસિંહ ચૌહાણ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવરાજ મંત્રી મંડલનું ૩૦ જૂને થવાવાળું સંભવિત વિસ્તરણ એક વખત ફરી ટળ્યું છે. આ માટે મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણ દિલ્લીમાં ડેરા નાખીને  બેઠા છે અને મંત્રી મંડલમાં બધા વર્ગોમાં સંતુલન બેસાડવાની કોશિશ કરી રહ્યા છે બે દિવસ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, જયોતિરાદિત્ય સિંધિયા, જેપી નડા વગેરેની મુલાકાત કરી અમિતશાહને બે વખત મળ્યા પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પણ મુલાકાત કરી મીડિયા સાથે પણ વાતચીત કરી.

પ્રારંભિક ખબરોના અનુસાર પાર્ટી નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ વચ્ચે મંત્રી મંડલ વિસ્તારના મુદા પર સહમતિ નથી થઇ.

(12:41 am IST)