Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કાનપુરમાં પોપટ અને લંગર પાળવા પર પ્રતિબંધ, એને માટે થઈ શકે છે ૨૫,૦૦૦નો દંડ અને ત્રણ વર્ષની કેદ

કાનપુર,તા.૨૯ : અનેક લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે અને પોપટ તો ઘણા લોકો પાળતા હોય છે. જોકે કાનપુરના વન્ય વિભાગે લંગૂર અને પોપટને પાળવા પર પ્રતિબંધ લાગુ કર્યો છે અને આ આદેશનું પાલન ન કરનાર સામે સખત કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

પોપટ કે લંગૂર ન પાળવાના આદેશનું ઉલ્લંઘન કરનારને ત્રણ વર્ષની કેદની સજા અથવા ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કે પછી બન્ને સજા થઈ શકે છે. આ આદેશ સામાજિક વનીકરણ વિભાગ, કાનપુરના ડિવિઝનલ ડિરેકટર અરવિંદ કુમાર યાદવ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

(2:57 pm IST)