Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પીએમ મોદી માનસિક રોગના દર્દી છેઃ ઈમરાનખાનનો બેફામ વાણી વિલાસ

ઈસ્લામાબાદ ,તા.૨૯:પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને ફરી એક વખત પીએમ નરેન્દ્રભાઇ મોદી માટે બેફામ વાણી વિલાસ કર્યો છે.

ઈમરાને કહ્યુ હતુ કે, પીએમ મોદી સામાન્ય માણસ નથી પણ માનસિક રોગના દર્દી છે અને ભારતને તે બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે.

પીએમ મોદી કાશ્મીરમાં નરસંહાર કરાવી રહ્યા છે.આંતરરાષ્ટ્રિય સ્તરે આ વાતની નોંધ લેવાવી જોઈએ.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાને કહ્યુ હતુ કે, કાશ્મીરના લોકોની આઝાદી માટે થઈ રહેલા સંઘર્ષને દબાવી નહી શકાય.

ઈમરાનખાન સરકાર સરહદ નજીક રહેલા લોકોને રોકડ સહાય કરવાની એક સ્કીમ લોન્ચ કરી છે.જેમાં ઈમરાને ઉપરોકત વાત કહી હતી.

ઈમરાનખાન અગાઉ પણ પીએમ મોદી માટે આપત્ત્િ।જનક શબ્દોનો ઉપયોગ કરી ચુકયા છે.

તાજેતરમાં ઈમરાનખાને આતંકી ઓસામા બીન લાદેનને પણ શહીદ કહેતા તેમના પર પસ્તાળ પડી હતી.દુનિયાના બીજા દેશોએ પણ આ નિવેદનની ટીકા કરી હતી.

(11:28 am IST)