Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાન મોદી કરે ભૂમિપૂજનઃ ટૂંક સમયમાં આમંત્રણ મોકલવામાં આવશેઃ ટ્રસ્ટ

અયોધ્યા,તા.૨૯: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસના અનુગામી મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલશે અને તેમને રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા આમંત્રણ આપશે.

મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ સોમવાર કે મંગળવારે (૨૯ જૂન કે ૩૦ જૂન ) વડાપ્રધાન મોદીને આમંત્રણ પત્ર પાઠવશે. તેમણે કહ્યું કે, અમે શ્રાવણ વન મહિના દરમિયાન રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા માંગીએ છીએ અને અમે વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિર નિર્માણ માટે જમીનની પૂજા કરવવા માગીએ છીએ.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને મળ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. સીએમ યોગી રવિવારે અયોધ્યા પહોંચ્યા. આ પ્રસંગે તેમણે રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લીધી હતી અને રામલલાના દર્શન કર્યા હતા તેમજ મંદિરના નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી.

(11:27 am IST)