Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાનું તાંડવ

૨૪ કલાકમાં ૬૦૮૮ કેસઃ ૧૪૮ના મોત

દેશનો મૃત્યુઆંક ૩૫૮૩: કુલ કેસ ૧,૧૮,૪૪૭

નવી દિલ્હી તા. ૨૨: વૈશ્વિક મહામારી કોરોના વાયરસને નિપટાવવા માટે લોકડાઉન ચાલુ છે પણ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.

કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૮ લોકોના  મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧,૧૮,૪૪૭ થઇ છે. ૩૫૮૩ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૪૧૬૪૨ દર્દી છે અને મૃતકોની સંખ્યા ૧૪૫૪ થઇ છે. તામિલનાડુમાં ૧૩૯૬૭ કેસ મળ્યા છે અને ૯૪ના મોત થયા છે.

યુપીમાં ૫૫૧૫ કેસ આવ્યા છે અને ૧૩૮ના મોત થયા છે. ગુજરાતમાં  ૧૨૯૭૫ કેસ છે અને  ૭૭૩ના મોત થયા છે. દિલ્હીમાં  ૧૯૪ના મોત થયા છે અને  ૧૧૬૫૯ કેસ છે.

(11:30 am IST)