Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પાકિસ્તાનમાં આતંકીઓને કોરોના વળગ્યોઃ કાશ્મીર પાછા ફરવા બેબાકળા ?

જમ્મુઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના કોરોના વાયરસ પ્રકોપ વધી રહયો છે. ત્યાના આતંકી કેમ્પોમાં ટ્રેનીંગ લઇ રહેલા કેટલાક કાશ્મીરીઓને કોવિદ-૧૯ વળગ્યાની અને સંભવતઃ મૃત્યુ થયાની પણ ચર્ચા છે. આવા કાશ્મીરથી ગયેલાઓનો કોરોના બિમારી વળગ્યા પછી કોઇ ભાવ પણ પુછતુ નથી તેવુ તેમના કોલ રેકોર્ડસ પરથી બહાર આવ્યું છે. આ કાશ્મીરીઓ કોઇપણ ભોગે જીવ બચાવી ભાગી છુટવા બેબાકળા બન્યા છે. પાકિસ્તાને ફરી ૨૦ આતંકીઓ કેમ્પો શરૂ કરી દીધા છે. અને લગભગ ૩૨૫ આતંકીઓ ભારતમાં ઘુસવા સરહદ ઉપર તૈયાર બેઠા છે.

(11:24 am IST)