Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઉદ્ધવ ઠાકરે સરકારનો વધુ એક મોટો નિર્ણંય : આરે પ્રદર્શનકારીઓ વિરુદ્ધના દાખલ કેસ પાછા ખેંચાશે

પર્યાવરણવાદીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો

મુંબઈ : મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે નિવેદન આપ્યું હતું કે તેમની સરકારે મુંબઈમાં આરે મેટ્રો કાર શેડના નિર્માણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પર્યાવરણવાદીઓ સામે દાખલ કેસ પાછો લેવાનો નિર્ણય લીધો છે.

   તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં આરે મેટ્રો કાર શેડ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ઘણા પર્યાવરણવાદીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.

   આ અગાઉ ઉદ્ધવ સરકારે આરે મેટ્રો કાર શેડના નિર્માણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.જ્યારે મેટ્રો કાર શેડનું બાંધકામ બંધ કરવાની ઘોષણા પછી, આ વૃક્ષો બચાવવા માટે વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે બપોરે આરે પર એકઠા થયા હતા અને સીએમ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો.

(8:31 am IST)