Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ કાર્યકર્તાની હત્યા : હુગલીના ગોઘાટમાં નહેર પાસેથી લાશ મળી : TMC પર લગાવ્યો આરોપ

મૃતક ઘોષ પર ટીએમસી કાર્યકર્તા લાલચંદ બાગની હત્યામાં સામેલ હોવાનો આરોપ

કોલકતા ;પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ કાર્યકરની હત્યા થઇ છે રવિવારે હુબલીના ગોઘાટમાં નહેર પાસેથી ભાજપ કર્યકર્તા કાશીનાથ ઘોષની લાશ મળી છે ઘોષ પર ટીએમસી કાર્યકર્તા લાલચંદ બાગની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો ભાજપે આરોપ લગાવ્યો છે કે ઘોષની હત્યા પાછળ ટીએમસીનો હાથ હોઈ શકે છે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

 જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં નાદિયા જિલ્લામાં 28 વર્ષના એક યુવકની કથિત માર મારીને હત્યા કરાઈ હતી ઘટના નબદ્રીપ બ્લોકના સ્વરૂપગંજનીહતી મૃતકનું નામ કૃષ્ણ દેવનાથ છે ,દેવનાથ 3 જુલાઈએ સાંજે પોતાના ઘરે પરત ફરી રહયો હતો ત્યારે તેની સાથે ઘટના બની હતી બાદમાં લોહીલુહાણ કૃષ્ણ દેવનાથ એક સ્થાનિક બ્લોક પાસેથી મળ્યો હતો

    કૃષ્ણ દેવનાથની હાલત ગંભીર હોવાથી તેને નજીક્ની શાંતિનગર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેની સ્થિતિ વધુ બગડતા ડોક્ટરોએ કોલકતા એનઆરએસ મેડિકલ કોલેજમાં રીફેર કર્યો હતો  જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું દેવનાથ ચેન્નાઇમાં શેફનું કામ કરતો હતો અને નબદ્રીપમાં રજા ગાળવા પોતાના ઘરે આવ્યો હતો.

(4:58 pm IST)