Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગવાર વાયદામાં વેચવાલી વધતા નરમાઇનો માહોલ : આવક નહિવત

રાજકોટ,તા.૧૪: ગવાર વાયદામાં વેચવાલી વધતા નરમાઇનો માહોલ જોવાઈ રહ્યો છે. ગવારસીડ અને ગવાર ગમમાં દબાણ સર્જાયું છે. બીજીતરફ ગવારની આવક પણ નહિવત જોવા મળે છે. ખેડૂતો પાસે જુના માલ પડ્યો હોય તેમાં વેપાર થઇ રહ્યાં છે અને ગવારનો મોટો કેરી ફોરવર્સ સ્ટોકને કારણે પણ બજારને તેજી રૃંધાઇ રહી છે તેમ વેપારીઓનું માનવું છે. આગામી દિવસોમાં લેવાલીના આધારે બજારની રૂખ સ્પષ્ટ થશે.

(10:04 am IST)