Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અમારી સરકારમાં બધા અર્ધ લશ્કરી દળોને શહીદનો દરજ્જો મળશેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી દિલ્હીના જેએસએન ગ્રાઉન્ડમાં સંબોધન દરમિયાન જેમાં વિદ્યાર્થીનીએ સવાલ કર્યો કે સરકારી ફાઇલ પ્રમાણે આ જવાનોને શહીદ કહેવામાં આવતા નથી તો શું તમારી સરકાર આ કામ કરી શકશે.

   રાહુલ ગાંધીએ જવાબ આપતા જણાવ્યું હતું કે તમારી સાથે હું બિલકુલ સહમત છું અને હું ખાતરી આપું છું કે જો અમારી સરકાર આવશે તો હું અર્ધ સરકારી દળોને જરૂર શહીદનો દરજ્જો અપાવીશ. અને આ સૈનિકોને પાક્કે પાયે શહીદનો દરજ્જો મળશે, મારી સીકયોરીટીમાં પણ વધારે અર્ધ લશ્કરી દળો છે એટલું હું એ લોકોની દેશ ભકિત જાણું છું. (પ-૩ર)

 

(3:20 pm IST)