-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
પત્રકાર છત્રપતિની ગોળી મારીને હત્યા કરાઈ હતી
ડેરાના સમાચાર છાપી રહ્યા હતા
પંચકુલા, તા. ૧૧ : પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. આ મામલાને યાદ કરવામાં આવે તો હત્યાનો આ કેસ ૧૬ વર્ષ જુનો છે. ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમ આમા આરોપી તરીકે છે. વર્ષ ૨૦૦૨માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છત્રપતિ પોતાના અખબારમાં ડેરા સાથે જોડાયેલા અહેવાલો પ્રકાશિત કરી રહ્યા હતા. પત્રકાર છત્રપતિના પરિવારના સભ્યોએ કેસ દાખલ કર્યો હતો. મોડેથી આને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ ૨૦૦૭માં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ડેરા પ્રમુખ ગુરમિત રામરહીમને હત્યાના કાવતરા રચવાના મામલામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા. રામચંદ્રને જાનથી મારી નાંખવાની અનેક વખત ધમકી આપવામાં આવી હતી. ૨૪મી ઓક્ટોબરના ૨૦૦૨ના દિવસે જેનો ડર હતો તે જ ઘટના બની હતી. સિરસાના સાંજના દૈનિક પુરા સચના એડિટર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવામાં આવી હતી. તેમને ઘરની બહાર બોલાવીને પાંચ ગોળી મારવામાં આવી હતી.