Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

થાઈલેન્ડની ગુફામાંથી 12 બાળકો તથા કોચને જીવતા બહાર કાઢી શકવામાં ભારતના 2 એન્જીનીયરોનું મહત્વનું યોગદાન: પુણેની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડની ટીમએ રાત દિવસ મહેનત કરી ગુફામાં ભરાયેલું પાણી બહાર કાઢ્યુ

    થાઈલેન્ડની ગુફામાં સપડાઈ ગયા બાદ ભારે જહેમતથી જીવતા બહાર કાઢી શકાયેલ 12 બાળકો તથા 1 કોચ મળી 13 ભારતીયોના જાન બચાવવામાં થાઇલેન્ડ મોકલાયેલા કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના 2  ભારતીય નાગરિકોનું બહુ મોટું યોગદાન છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગત મુજબ ગુફામાં ભરાઈ ગયેલ પાણી બહાર કાઢવા માટે ભારતની કિર્લોસ્કર બ્રધર્સની ટીમનાએન્જીનીઅર શ્યામ શુકલા તથા પ્રસાદ કુલકર્ણી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.આ ટીમમાં નેધરલેન્ડ,યુ.કે.તથા થાઈલેન્ડના એન્જીનીઅરોનો પણ સમાવેશ કરાયો હતો.

(7:16 pm IST)