Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

બિહારઃ માસુદન રેલ્વે સ્ટેશનના બે રેલ્વે અધિકારીઓનું અપહરણઃ નકસલીઓએ બે સુરક્ષા કર્મચારીની કરી હત્યા

પટણા, તા.૨૦ : બિહારમાં નકસલીઓએ તાંડવ મચાવ્યું છે. જમુઈ જીલ્લાના સિકંદરા વાણા ક્ષેત્રમાં નકસલીઓએ જળાશય યોજનાના નિર્માણ કાર્યમાં લાગેલા કંપનીના બેસ કેમ્પ હુમલો કરી બે સુરક્ષાકર્મીઓનું અપહરણ કરી લીધું. ત્યારબાદ નકસલી સુરક્ષા કર્મિઓને જંગલ લઈ ગયા અને ગળુ દબાવીને હત્યા કરી દીધી. આ ઘટના પર પોલીસે જણાવ્યું કે, કથિત પ્રતિબંધિત નકસલી સંગઠન ભાકપા માઓવાદીના હથિયારબંધ નકસલીઓએ આ હુમલો કર્યો, આ પહેલા નકસલીઓએ માસુદન રેલ્વે સ્ટેશનના સહાયક સ્ટેશન માસ્તરનું અપહરણ કર્યા બાદ નકસલીઓએ માલદા ડીઆરએમને ફોન કર્યો છે અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે જમુઈના એસપી જયકાંતે જણાવ્યું કે, પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને બંને શબોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ મામલે એક વ્યકિતની ધરપકડ કરીને પુછપરી કરાઈ રહી છે. હત્યાના કારણો હજુ સુધી માલુમ પડ્યા નથી.

(3:45 pm IST)